રાજ્યસભામાં કોંગ્રેસ પર ચાબખા મારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે મોહબ્બત કી દુકાનની વાતો કરનારા ‘મોદી તેરી કબર ખુદેગી’ના નારા લગાવે છે. એક તરફ હું દેશના યુવાનો માટે નવા મેદાન તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યો છું, ત્યાં કોંગ્રેસ મોદીની કબર ખોદવાનો કાર્યક્રમ યોજી રહી છે. તમે મોદીની કબર કેમ ખોદવા માંગો છો? આ ફક્ત એક સૂત્ર નથી. તે તેમનામાં રહેલા નફરતનું પ્રતિબિંબ છે.